આજે સવારે ખંભોળજ પવિત્ર ધામે લોક લાડીલા બીશપ શ્રી થોમસ મેકવાન દ્વારા ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ દરમ્યાન ૬૦ જેટલા યુવાનો અને યુવતીઓ ને બળસંસ્કાર બીશપશ્રીના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ૩૦ જેટલા બાળકોને પ્રથમ પરમપ્રસાદ સંસ્કાર આપવામાં આવ્યો હતો.હજારો ની સંખ્યામાં ઉમટેલી માનવ મેદનીએ આ પવિત્ર સંસ્કાર વિધિમાં ભાગ લીધો હતો.
બાળકો પ્રભુ ઈસુના શરીરનું ગ્રહણ કરીને અને બળસંસ્કાર મેળવી આપણી ઉગતી પેઢી ઈસુના દાસ બનવા માટે, અને માતા ધર્મસભાના પાયા બને તે માટે અને તેમની શ્રધામાં વધારો થાય તે હેતુસર માટેનો આ પ્રસંગે બીશપશ્રીએ ઉત્તમ બોધપાઠ પીરસ્યો હતો.
0 Add comments:
Post a Comment
Thank you and stay connected