સુધન્ય ફા. ફ્રાન્સીસ્કો પલાઉનો જન્મ ૨૯-૧૨-૧૮૧૧ માં સ્પેન દેશમાં આવેલા આયટોના ગામમાં થયો હતો.તેમના માતા પિતાનું સાતમું સંતાન હતા. કુટુંબ પહેલેથીજ ધાર્મિક અને તેથી જન્મની સાથે જ તેમને સ્નાન સંસ્કાર આપવામાં આવ્યો હતો. મોટા થતા જ દેવળની બધીજ પ્રવૃતિઓમાં ભાગ લેતા. તેમના શિક્ષણકાળ દરમ્યાન જ તેમના શિક્ષણગણે તેમના ઉમદા ગુણોનો અનુભવ કર્યો હતો.
મોટા થઇ કાર્મેલાઈટ ઓર્ડરમાં જોડાયા અને તે સમયે સ્પેનમાં બળવાખોરોએ સેમીનરીસ અને કોન્વેન્ટઓ ઉપર હુમલા કરી સન્યસ્ત લોકોને ક્રુરતાથી મારી નાખ્યા હતા અને સેમીનરીસ અને કોન્વેન્ટ જીવન ઉપર પ્રતિબંધ મુકાયો. જે ફાધર્સ અને સિસ્ટરસ આ ક્રુરતામાંથી બચી ગયા તેમાના એક સુધન્ય ફા. ફ્રાન્સીસ્કો પલાઉ હતા
આજે આ પવિત્ર કાર્ય ૪૦ દેશોમાં તેમની સંસ્થા કાર્યરત રહી તેમનું શુભ કાર્ય ધપાવી રહી છે.તેમના જન્મના ૨૦૦ વર્ષ અને તેમની સંસ્થાના ૧૫૦ વર્ષની ઉજવણી શરૂઆત આજે કરી રહ્યા છે ત્યારે સલુણ ગામના "પુષ્પાલય" ખાતે રહેતા તેમના સાધ્વી બહેનો કહે છે,
"આજનો દિવસ અમારા માટે શુભ દિવસ છે કારણકે અમારી સંસ્થાના સ્થાપકની દ્ધીશતાબ્દીના ભાગ રૂપે ઉજવણી અને ૧૫૦ સંસ્થાના વર્ષની ઉજવણી કરી રહ્યા છે."
આ શુભ ઉજવણી નિમિતે ફા.રોયસટન એસ.જે. (આણંદ) ખ્રિસ્ત યજ્ઞ દરમ્યાન સુંદર ઉપદેશ આપ્યો હતો. ખ્રિસ્તયજ્ઞમાં ફા. ફ્રાન્સીસ ઝેવિયર (સભા પુરોહિત,સલુણ) ફા. પરેઝા અને જાણીતા ફાધરો હાજર રહી ખ્રિસ્તયજ્ઞનો મહિમા વધાર્યો હતો.
ભવ્ય ખ્રિસ્તયજ્ઞ સાથે ઉજવણી કરવામાં આવી હતી તે જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો
Report In English
Because of the socio political situation in Spain he had to leave the seminary and also Spain his own country. Thus, he spent most of his life outside seminary, but living the real Carmelite life - the prayer and contemplation. Thus he lived very hard life. but God was guiding him and made him the instrument to begin a congregation which is now existing in 40 countries.
- News By
Sr. Smita and Sr. Indira
congratulations dear sisters
ReplyDeleteCONGRATULATIONS DEAR SISTERS,PLEASE GIVE SOME MORE INFORMATIONS IN DETAIL ABOUT YOUR CONGREGATION AND THE FOUNDER.
ReplyDeleteTHANKS.