Sunday, September 23, 2012

"શ્રદ્ધાના દ્વાર" પ્રેષિતિક પત્ર - પાસટ્રલ સેન્ટર નડિયાદ

તા 21-09 2012 શનિવારના રોજ  પાસટ્રલ  સેન્ટર નડિયાદ ખાતે પૂજ્ય બીશપશ્રી થોમાસ મેકવાનની ઉપસ્થી સાથે ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું . 

જમણી બાજુથી  રેવ. ફા. ટાયટસ ડીકોસ્તા અને  રેવ. ફા. વિનાયક જાદવ એસ.જે.
આ મિટીંગમાં ધર્મજનો, પુરોહિતગણ અને સાધ્વી બહેનોની હાજરીથી મિટિંગમાં પ્રોત્સાહન આપતો  માહોલ બની રહ્યો હતો. આ મિટિંગનો મુખ્ય આશય શ્રદ્ધાવર્ષની ઘોષણા અને તે માટેનું પુર્વ આયોજનનો રહ્યો હતો. મિટિંગની શરૂયાતમાં રેવ. ફા. ટાયટસ ડીકોસ્તા દ્વારા મહેમાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે  મહેમાનોમાં નાની દીકરીઓના મધર જનરલ સિસ્ટર મેરી, રેવ ફાધર જોસ  ચંગનાચેરી એસ.જે.  (ઇસુસંઘ ગુજરાતના પ્રાંતપતિ) રેવ. ફા. રોકી પિંટો (વિકાર જનરલ અમદાવાદ ડીઓ) રહ્યા હતા.

આ મિટીંગમાં રેવ. ફા. વિનાયક એસ. જે. દ્વારા નામદાર વડાધર્મગુરુએ  શ્રદ્ધાવર્ષની ઉજવણી કેવી રીતે કરવી તે માટે પાઠવેલ  "શ્રદ્ધાના દ્વાર"  પ્રેષિતિક પત્રની વિસ્તારભરી સમજુતી આપી હતી( આ પત્ર ગુજરાતીમાં ટુંક સમયમાં બી.બી.એન.માં રજુ કરવામાં આવશે)


અંતે મિટિંગ દરમ્યાન એકત્રિત સર્વે તરફથી શ્રદ્ધાવર્ષને વધાવી લેવા તેમજ ઘરે ઘરે શ્રદ્ધા સંકોરવા માટેનો એકમત  મળ્યો હતો.



News and photo
BBN

    

Related Posts:

0 Add comments:

Post a Comment


Thank you and stay connected