Sunday, December 30, 2012

Ordination Of Rev.Fr.Simon S.J. and Rev. Fr. Sanjay S.J

Please click on the video




Please view the photos




 તા 29-12-2012 ની સાંજે  સેન્ટ ઝેવિયર્સ ચર્ચ, નવરંગપુરા અમદાવાદ ખાતે બે ઇસુસંઘી પુરોહિતોની પુરોહિતદિક્ષાથી ગુજરાતની ધર્મસભાને  બે નવપુરોહિતો મળ્યા જેમને મોટા ઉમળકાથી શ્રધાળુઓએ વધાવી લીધા હતા

 રેવ ફા સાયમન  એસ જે  જેઓ મૂળ સાબરમતી અમદાવાદના વતની છે અને રેવ ફા સંજય પરમાર એસ જે જેઓ મૂળ લસુન્દ્રા ગામના વતની છે.

 રેવ ફા સાયમન એસ.જે. નો જન્મ તા  21-01-1981 માં થયો હતો અને ઇસુ સંઘમાં  તા 30-07-2001ના રોજ જોડાયા હતા અને રેવ ફા સંજય પરમાર એસ. જે .નો જન્મ તા 30-05-1978 માં થયો હતો અને તા 30-07-2001 માં ઇસુ સંઘમાં જોડાયા હતા

 આજે લાંબી પુરોહિત માટેની સાધના બાદ બંને પુરોહિતોને માનનીય રેવ બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ડીઓ) અને માનનીય આર્ચ  બિશપ સ્ટેની ફર્નાડીઝ  એસ જે  અને ગુજરાતના ઇસુ સંઘના પ્રાંતપતિ માનનીય રેવ ફા જોસ ચાગનાચેરી   એસ જે દ્વારા અભિષેક કરી ગુજરાતની કેથોલિક ધર્મ ભૂમિમાં આવકાર્યા હતા

 આ પ્રસંગે દુર દુર થી આવેલ પુરોહિતગણ, સાધ્વીગણ અને મોટી સંખ્યામાં ઉમટેલા ધર્મજનોએ બંને ધર્મ ગુરુઓને ફૂલહાર અને ભેટ આપી વધાવી લીધા હતા

News and Photos
BBN
  


2 Add comments:


Thank you and stay connected