Sunday, September 23, 2012

"શ્રદ્ધાના દ્વાર" પ્રેષિતિક પત્ર - પાસટ્રલ સેન્ટર નડિયાદ

તા 21-09 2012 શનિવારના રોજ  પાસટ્રલ  સેન્ટર નડિયાદ ખાતે પૂજ્ય બીશપશ્રી થોમાસ મેકવાનની ઉપસ્થી સાથે ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું . 

જમણી બાજુથી  રેવ. ફા. ટાયટસ ડીકોસ્તા અને  રેવ. ફા. વિનાયક જાદવ એસ.જે.
આ મિટીંગમાં ધર્મજનો, પુરોહિતગણ અને સાધ્વી બહેનોની હાજરીથી મિટિંગમાં પ્રોત્સાહન આપતો  માહોલ બની રહ્યો હતો. આ મિટિંગનો મુખ્ય આશય શ્રદ્ધાવર્ષની ઘોષણા અને તે માટેનું પુર્વ આયોજનનો રહ્યો હતો. મિટિંગની શરૂયાતમાં રેવ. ફા. ટાયટસ ડીકોસ્તા દ્વારા મહેમાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે  મહેમાનોમાં નાની દીકરીઓના મધર જનરલ સિસ્ટર મેરી, રેવ ફાધર જોસ  ચંગનાચેરી એસ.જે.  (ઇસુસંઘ ગુજરાતના પ્રાંતપતિ) રેવ. ફા. રોકી પિંટો (વિકાર જનરલ અમદાવાદ ડીઓ) રહ્યા હતા.

આ મિટીંગમાં રેવ. ફા. વિનાયક એસ. જે. દ્વારા નામદાર વડાધર્મગુરુએ  શ્રદ્ધાવર્ષની ઉજવણી કેવી રીતે કરવી તે માટે પાઠવેલ  "શ્રદ્ધાના દ્વાર"  પ્રેષિતિક પત્રની વિસ્તારભરી સમજુતી આપી હતી( આ પત્ર ગુજરાતીમાં ટુંક સમયમાં બી.બી.એન.માં રજુ કરવામાં આવશે)


અંતે મિટિંગ દરમ્યાન એકત્રિત સર્વે તરફથી શ્રદ્ધાવર્ષને વધાવી લેવા તેમજ ઘરે ઘરે શ્રદ્ધા સંકોરવા માટેનો એકમત  મળ્યો હતો.



News and photo
BBN

    

0 Add comments:

Post a Comment


Thank you and stay connected