Monday, January 23, 2012

"જળ ને પડદે" પ્રશિષ્ટ નાટક_ Jad Ne Padade

This is the true story of a famous Gujarati poet Kant who accepted the love of Christ in his life. He lived as a Hindu Brahmin and died as a follower of Christ.
"જળ ને પડદે" નામનું પ્રશિષ્ટ નાટકની ઝાંખી માટે નીચે ક્લિક કરશો.

  


ગઈ કાલે તા ૨૨ રવિવારે ગુર્જરવાણીના રજત જયંતી વર્ષ નિમિત્તે "સંગાથ" (આ ગ્રુપ દૂતની શતાબ્દી ઉજવણી નિમિત્તે અમદાવાદમાં સક્રિય લોકો દ્વારા રચના કરવામાં આવી હતી ) દ્વારા "જળ ને પડદે" નામનું પ્રશિષ્ટ નાટકનું આયોજન લોયોલા હોલ અમદાવાદમાં  કરવામાં આવ્યું હતું 

શ્રી કમલ જોશી  
"જળ ને પડદે" કવિ કાન્ત ના જીવન પર આધારિત એક વિશિષ્ટ નાટક છે. આ નાટક લેખક શ્રી સતીસ વ્યાસે  લખ્યું છે અને એક પાત્રીય અભિનય અને દિગ્દર્શનનું પાત્ર શ્રી કમલ જોશીએ કર્યું છે. શ્રી કમલ જોશી લુણાવાડામાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર છે. પોતાના આગવા અભીનયથી કવિ કાન્તનો પ્રભુ ઇસુ પ્રત્યેનો અખંડ પ્રેમ અને તેના કારણે સમાજના ઉભા થયેલ પ્રશ્નો, અને પુનરુથાનની આશા અને સાચા ઈશ્વરને પામવા માટેનો તલસાટને સુંદર હાવભાવથી રજુ કર્યો છે. 
 આજે જયારે ખ્રિસ્તી ધર્મ ઉપર ધર્માંતરના પ્રહારો થતા રહ્યા છે ત્યારે વર્ષો પહેલા થઇ ગયેલ કવિ અહી એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. કવિ કાન્તે સુંદર રીતે પોતાની વેદના બળવંતરાય ઠાકોરને કહે છે કે સમાજ ધર્મ ને આગળ રાખે છે અને અંતર (હૃદય) પાછળ રાખે છે જો કે અંતર પહેલા હોવું જોઈએ અને ધર્મ પછી. કવિનો ઇસુ પ્રત્યેનો તલસાટ આજના લોકો સમજી શકશે ખરા? તે પ્રશ્ન અવરણીય રહે છે. 

આ નાટક જોવા નાટ્યખંડ અધ્યાપકો, યુવાન યુવતીઓ તથા સાહિત્ય પ્રેમીયોની મોટી મેદનીથી વધુ રસપ્રદ બન્યો હતો.

ફોટો વીડિઓ: બી. બી. એન. 
   

2 Add comments:

  1. Excellent drama,superb acting,initially I thought it must be boring,but I was wrong..A thoughtful drama..I enjoyed thoroughly..
    - Lalita Simon

    ReplyDelete
  2. ગુજરાતનું ગૌરવ કવિ કાન્ત.... ગુજરાતની શરમ કટ્ટરવાદી ધર્માંધતા.....સામાજિક બહિષ્કારને લીધે તેમને ખ્રિસ્તી ધર્મ છોડવો પડ્યો પણ જીવનપર્યત તેઓ ઇસુપંથી જ રહ્યા. Poet 'Kant' was a Brahmin. He adopted Christianity and he has to suffer social boycott and harassment from the communal forces. He had to go back to Hidu religion by force. But till the end of his life his faith was in Christ.. The real Pride of GUJARAT is Kavi Kant

    Ratilal Jadav

    ReplyDelete


Thank you and stay connected