Thursday, April 12, 2012

અવસાન નોધ

 LD  સિસ્ટર્સ, પ્રેમ જ્યોત કોન્વેન્ટ સંચાલિત વૃધા આશ્રમ, આણંદમાં છેલ્લા બાર વર્ષથી મોગર ગામના  મારિયા બહેન  આશરો લઇ  રહ્યા હતા. 

 અપરણિત અને ઘરેથી જાકારો આપેલ એવા સિત્તેર વર્ષીય માજી છેલ્લા ત્રણ દિવસથી  એમરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રેમ જ્યોતમાં પાછા લાવ્યા બાદ  આજ રોજ કોન્વેન્ટમાં તેમનું  અવસાન થયું હતું.  તેમની દફન વિધિ પહેલા આજે સવારે  ૧૦ વાગે કેથોલિક ચર્ચમાં તેમના આત્માને શાંતિ મળે તે અર્થે ખ્રિસ્ત યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ દુઃખદ પ્રસંગે આણંદ  પધારિયા વિસ્તારના અગ્રણીય બહેનો અને ભાઈઓએ  પ્રેમ જ્યોતમાં ભેગા થઇ પ્રાર્થના કરી હતી અને અન્ય આશરો લઇ રહેલ વૃદ્ધા બહેનોને દિલાસો પાઠવ્યો હતો.

 પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.  


ન્યુઝ અને ફોટો
બી. બી. એન.   

0 Add comments:

Post a Comment


Thank you and stay connected