Friday, April 13, 2012

ધર્માંતરના આક્ષેપ વિરુદ્ધ આવેદન પત્ર

 ગયા મહીને ખંભાતમાં પુરોહિતગણ ઉપર ધર્માંતરની પોલીસ કાર્યવાહી  કરવામાં આવી હતી તે અનુલક્ષીને ગઈ કાલે ભાલબારાના લોકોએ મોટી સંખ્યામાં ભેગા મળી  આવી કોઈ  પણ જાતની  કુ રીતી  થતી  નથી  અને આ એક લોકોને હેરાન કરવાની રીત છે તેમ  નકારી કાઢીને આણંદના  કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. 

 વધુમાં વડીલોએ જણાવ્યું હતું કે આ જાતના આક્ષેપો ધર્મના નામે કરી લોકોને  હેરાન કરવામાં આવે છે અને તેમની એકતા તોડવામાં આવી રહી હોવાથી તત્કાળે આવા દુષણો બંધ કરવા માટે જોગવાઈ થાય તેવી માંગણી કલેકટર સમક્ષ રજુ કરી હતી 

 આ સમયે માયકલભાઈ, ભાનુબેન તથા મનોજ મેકવાને (from CDS Anand) આગેવાની સાથે લોકોને સાથસહકાર આપ્યો હતો 

વધુ વિગત માટે વીડિઓ નિહાળશો.

0 Add comments:

Post a Comment


Thank you and stay connected