Tuesday, January 28, 2014

Mother Of Forsaken-Baroda - Religious get together


તા 26 જાન્યુ -2014 ના રોજ ફતેગંજ વડોદરા ખાતે આવેલ નિરાધારોની માતા યાત્રાધામે ધાર્મિક મેળાની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મેળો દર વર્ષે આ દિવસે રાખવામાં આવે છે. ધાર્મિક મેળા અગાઉ  નવ દિવસની ભક્તિનું આયોજન  દરરોજ સાંજે કરવામાં આવ્યું હતું જેનાથી ભક્ત જનોને ભક્તિનો લાવો મળ્યો હતો. 30 હજારની આસ પાસ આવેલ ભક્તજનો પવિત્ર મારિયા સાથે પ્રભુને વિનંતી કરતા જોવા મળ્યા હતા. અહીયા સવારથી ખ્રિસ્તયજ્ઞ  સમય અંતરે રાખવાથી ભક્તજનો લાભ લઇ શક્યા હતા. બપોરે ત્રણ વાગ્યા પછી સરઘસ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તજનોએ પ્રાર્થના સાથે ભાગ લીધો હતો. સરઘસ બાદ વડોદરા ધર્માંપ્રાંતના માનનીય બિશપશ્રી ગોડફ્રી દે રોસારીઓ દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. આ મેળામાં ઉમટેલી માનવ મેદની જોવા માટે વીડિઓ નિહાળશો.   




Please click on the video




વધુ ફોટો માટે નીચે ક્લીક કરશો. Please click for more photos.




- BBN
Bhumel Broadcasting Network

0 Add comments:

Post a Comment


Thank you and stay connected