Tuesday, April 15, 2014

તપઋતુ દરમ્યાન સબ જેલ આણંદની મુલાકાત


"... હું કારાવાસમાં હતો અને તે મારી મુલાકત લીધી હતી" ( માથ્થી 25:36)
"... I was in prison, and you came to visit me"


  તા. 14 એપ્રિલ 2014 ના રોજ શ્રી ડેનિયલ એમ. પરમાર ( નિવૃત્ત જમાદાર ) તથા રેવ. ફા. આલ્બર્ટ (સભાપુરોહિત ગામડી-આણંદ) તથા શ્રી જોસેફભાઈ સેવરીન, શ્રી યાકુબભાઈ જીવાભાઈ, શ્રી શાંતિલાલ સેમ્યુલભાઈ રાઠોડ, શ્રી સુરેશભાઈ મેકવાન,  શ્રી  ચિંતનભાઈ રાઠોડ તથા શ્રી તરલ જયંતીભાઈ પરમાર દ્વારા સબ જેલ આણંદની મુલાકાત  લેવામાં હતી.


 આ મુલાકાત દરમ્યાન 86 કેદીઓ સાથે વાર્તાલાપ અને તેમની સાથે રહી થોડી આત્મીયતાની પળોનો અહેસાસ કરાવ્યો હતો. ત્યાર બાદ દરેક કેદીભાઈઓ માટે પ્રાર્થના કરી સર્વેને નાસ્તો આપી આ તપઋતુ દરમ્યાન પ્રભુના પ્રેમ અને બલિદાનનો સંદેશ પાઠવ્યો હતો. 

 પ્રભુ ઇસુના મુલ્યો સાથે ભાત્રુપ્રેમ તેમજ સમાજના ઉત્થાન માટે કામ કરતા સર્વેને BBN અભિનંદન પાઠવે છે. 

Photos: Taral Parmar

વધુ સમાચારો વાંચવા માટે ઉપર આપેલ હોમ ક્લિક કરશો. 



0 Add comments:

Post a Comment


Thank you and stay connected