Sunday, February 26, 2012

આણંદ-પાધરિયામાં સ્વછતા અભિયાન

આજે આણંદ-પાધરિયા વિસ્તારના અગ્રણીય યુવાનો અને વડીલો  સ્વછતા અભિયાન માટે ભેગા થયા હતા




તા.૨૬-૦૨-૨૦૧૨
આજે સવારે  યુવાનો અને વડીલો દ્વારા આણંદ દેવળથી માંડીને પુષ્પ વિહાર  જવા માટેનો રોડ અને નજીકના વિસ્તારની આજુબાજુમાં  ઉકરડા બનેલ ગંદકી  દુર કરી હતી, આ પ્રવૃત્તિ દરેક માટે  સ્વછતા રાખવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી . આજે આ પ્રવૃતિની પહેલ હતી. અગામી દિવસોમાં વધુ યુવાનો અને વડીલો ભેગા થાય તો પાધરિયા તથા  સમગ્ર પંથકમાં સ્વછતાનું ઉદાહરણ બની શકશે તેવી લાગણી  ભેગા થયેલ વડીલો પાસેથી  સાંભળવા મળી હતી. એક હાથે તાળી ના પાડી  શકાય ! આવો, સાથે મળી દરેક જગ્યાએ સ્વછતા માટે આપણું યોગદાન અને પ્રોત્સાહન યુવાનો અને વડીલોને આપી અપાવી સ્વછતા અભિયાનને આગળ વધાવીએ તેવી અપેક્ષા સાથે અભિયાન આગળ વધ્યું હતું.  

ન્યુઝ ઇન્ફો.
કમલ ડોડીયા

ફોટો
રમેશ  યોહાકીમ  પરમાર, BBN, આણંદ         

5 Add comments:


Thank you and stay connected